સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬ માં સ્થાપના દિવસ નિમિતે સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬ મા સ્થાપના દિવસે કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબ દ્વારા કેમ્પસ સ્થિત માં સરસ્વતી મંદિરમાં માતા સરસ્વતીજીનું પુજન-અર્ચન કર્યું હતું.

માનનીય કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબે સ્થાપના દિવસે આદ્ય કુલગુરુશ્રી ડો ડોલરરાય માંકડની પ્રતિમા, સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. ધરમભાઈ કાંબલીયા, ભવનોના અધ્યક્ષશ્રીઓ, શૈક્ષણીક અને બિનશૈક્ષણીક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

23-05-2022